75 મા પ્રજાસત્તાક દિન વિશેનું અહેવાલ, જાણો કોણ છે પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન

 

 75મો પ્રજાસત્તાક દિન, 26 જાન્યુઆરી  અથવા ગણતંત્ર દિવસ  નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવ સાથે  ઉજવવા માં આવે છે. આપણો દેશ અંગ્રેજો ની  અનેક વર્ષોની ગુલામીની યાતનાઓ  પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. ભારતની આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી,વીર સાવરકર,શ્યામજી કૃષ્ણ વર્મા અને આપણા અનેક અનેક વીર શહીદો  ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ આઝાદ  થયો. અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના બંધારણ નો અમલ થયો. અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું. આપણા દેશના  પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે  આપણો ત્રિરંગો  રાષ્ટ્રધ્વજ ફરકારી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસની  રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા  કરી.  ત્યારથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમગ્ર દેશમાં  ભારે ધામધૂમ,અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. કર્તવ્ય પથ પર આપણી સેનાની ભવ્ય પરેડ અને વિવિધ ટેબ્લો ખૂબ આકર્ષક હોય છે.

75 મા પ્રજાસત્તાક દિન વિશેનું અહેવાલ

પ્રજાસત્તાક દિનની ઉજવણી માં દર વર્ષે વિવિધ દેશ ના પ્રતિનિધિને આમંત્રીત કરવામાં આવે છે. 2024 ના 75 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત રહેવાના છે. તો પ્રજાસતત્તાક દિનની પરેડમાં સામેલ થનાર તેઓ ફ્રાંસના છઠ્ઠા અતિથિ વિશેષ છે.

આ વર્ષે 75 મો પ્રજાસત્તાક દિન વિશેષ રીતે ઉજવાઈ રહ્યો છે.ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાતી સૈન્ય પરેડમાં આ વખતે  પ્રથમ વખત સેનાની મેડિકલ વિભાગની નર્સિંગ ટુકડી સામેલ થઈ રહી છે. આ સાથે સેનાની ત્રણેય પાંખોની મહિલા સૈનિકોઓ પણ પરેડમાં સામેલ થઈ ભારતની નારી શક્તિનો વિશ્વને પરિચય કરાવશે. તેમજ ભારતની સેના સ્વદેશી શસ્ત્ર ભીષ્મ,પીનાકા,પ્રચંડ અને હિલિકોપ્ટર વગેરે પરેડમાં સામેલ કરી રહી છે. તેનાથી ભારતની તાકાતનો વિશ્વને પરિચય થશે. તમે પણ પરેડ નિહાળવા માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણા દેશની રાજધાની દિલ્હી માં ભારે ઉત્સાહ અને ધામધુમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં  આવે છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. અને  આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને યાદ કરી દેશ તેમને શ્રધ્ધાંજલી પાઠવે  છે.  સેનાના જાંબાઝ વીરોને તેમની વિશિષ્ઠ સેવા બદલ મેડલ આપી  સન્માનિત કરવામાં આવે છે. સેનાની ત્રણેય પાંખોના ચુનંદા જવાનો અને એન.સી,સી. કેડેટ્સ ની પરેડ કર્તવ્ય પથ પર યોજાય છે. સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી, તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લો નું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે. આ વખતના 75 માં પ્રજાસત્તાક દિને તે વિશેષ રીતે યોજાવાની છે. આમ અનેક સાંસ્કૃતિક ઝાંખી ઓ સાથે સેનાના જવાનોનાં બાઈકસવારી, ધોડેસવારી  સહિતના અનેક કરતબો પણ ધ્યાનાકર્ષક બની રહે છે. આમ 75 મા પ્રજાસત્તાક દિનનો આ રાષ્ટ્રીય તહેવાર ભારે  હર્ષ ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવશે.જેનું સમગ્ર ભારતમાં ટેલીવિઝન દવારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.   

         પ્રજાસત્તાકદિન આપણો રાષ્ટ્રીય તહેવાર છે  જે  26 જાન્યુયારીના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસ થી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તે દિવસે સરકારી કચેરીઓ અને નિશાળોમાં રજા રાખવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં  આવે છે. શાળાઓમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા વિવિધ  સાંસ્કૃતિક કાર્યક્રમો,અને સ્પર્ધાઓ નું પણ આયોજન કરવામાં આવે છે. વિધાર્થીઓ માટેની  વકતૃત્વ સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે. બાળકોને મીઠાઈઓ વહેચવામાં આવે છે. આ રાષ્ટ્રીય તહેવારે સૌ નાગરીકો ઉજવણીમાં હોંશભેર  સહભાગી બને છે.

શાળાનાં બાળકો પ્રજાસત્તાક દિન માટેનું વક્તવ્ય

પ્રજાસત્તાક દિન નિબંધ ꠰ પ્રજાસત્તાક દિન અહેવાલ

(બાળકોએ હાજર રહેલ મહાનુભાવોનું સંબોધન કરવું અને ત્યારબાદ ભાષણ શરૂ કરવું )

માનનીય આચાર્ય સાહેબ,પધારેલ મહાનુંભાવો ,ગુરુગણ અને વ્હાલા વિધાર્થી ભાઈ બહેનો. આપ સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! અનેક વર્ષોની ગુલામી પછી આપણો  દેશ આઝાદ થયો. આપણા દેશની આઝાદી માટે આપણા અનેક વીર સપૂતોએ બલીદાન આપી આપણ ને મહામૂલી આઝાદી અપાવી.ગાંધીબાપુ,સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ,ડો.બાબાસાહેબ ભીમરાવ,શ્યામજી કૃષ્ણ વર્મા,આંબેડકર,શહીદ ભગતસિંહ ,ચંદ્રશેખર આઝાદ વગેરે આપણા આઝાદીના લડવૈયા ઓનું  સ્વપ્ન સાકાર થયું. ભારતને મહામૂલી આઝાદી મળી અને  26 જાન્યુઆરી 1950 ના દિવસથી આપણા દેશમાં આપણું બંધારણ અમલમાં મુકાયું. અને આપણું  રાષ્ટ્ર  પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું . આ દિવસે આપણા મહામહિમ રાષ્ટ્રપતિ ત્રિરંગો ફરકાવે છે. અને આપણા વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરે છે. સૌ ભારતીયો માટે આજનો દિવસ આનંદ,ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે.  આજના દિવસે ભારતની રાજધાનીમાં રાજભવન પાસે કર્તવ્ય પથ પર સેનાના જવાનો દ્વારા  ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. સેના દ્વારા શસ્ત્ર પ્રદર્શન અને રાજયોની મહત્વની ઝાંખીઓનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવે છે. આપણી સેનાના જવાનોને તેમની વીરતા અને શૌર્ય માટેના પુરુસ્કારો પણ આ દિવસે એનાયત કરવામાં આવે છે. આ દિવસે સરકારી કચેરીઓ શાળા અને મહાશાળાઓમાં જાહેર રજા રાખવામાં આવે છે. શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો  યોજાય છે.શાળાનાં બાળકોને મીઠાઈ વહેચવામાં આવે છે. આમ સમગ્ર ભારત માં પ્રજાસત્તાક દિવસની  ઉજવણી ની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમ થી ઉજવવામાં  આવે છે. મને મારા દેશ પર ખૂબ ગર્વ છે.જય હિન્દ.

આ પણ વાંચો:-  બિઝનેસ શરૂ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન

ભારતના બંધારણ ઘડતર વિશેની કેટલીક રસપ્રદ જાણકારી

  • 26 જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો.
  • 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી.
  • 4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
  • બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું  જાહેર સત્ર મળ્યું.
  • બંધારણના ઘડતરનું કામ  2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી ચાલ્યું.
  • 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણની અંગ્રેજી અને હિન્દીની હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા.
  • બંધારણ સભામાં કુલ 308 સભ્યો હતા.