Manav Kalyan Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023, અરજી કેવી રીતે કરવી ?

Manav Kalyan Yojana 2023 Online Registration Form Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2023 | Manav Kalyan Yojana Apply Last Date | e kutir gujarat gov in 

Manav Kalyan Yojana 2023 Online Registration Form Gujarat: – માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાના લાભથી રાજ્યના આર્થિક રીતે પછાત, ગરીબ લોકો આત્મનિર્ભર બની સ્વરોજગાર મેળવી શકે. આ યોજનાના માધ્યમથી જુદા જુદા 28 ધંધા રોજગાર માટે ઓજાર અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થીઓ એ e-kutir gujarat Portal ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

માનવ કલ્યાણ યોજના 2023 | માનવ કલ્યાણ યોજના 2023 Online apply | Manav Kalyan Yojana silai machine | Manav kalyan Yojana Form PDF | Manav Kalyan Yojana Status Check

આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારોએ જાહેરાતમાં દર્શાવેલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે મેન્યુઅલી ફોર્મ ભરાયા હતા જે હવે ઓનલાઇન થઇ ગયેલ છે. હવે મેન્યુઅલી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અરજદાર ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકશે.

Highlight Of Manav Kalyan Yojana 2023

યોજનાનું નામ  માનવ કલ્યાન યોજના 2023
વિભગનું નામ  ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
લાભાર્થીની પાત્રતા કાર્ડ ધરાવતા અને નિયત થયેલ આવક મર્યાદામાં આવતા સામાજિક નબળાના વર્ગના નાગરિકો
મળવાપાત્ર સહાય નવો વ્યવસાય અને ધંધો શરુ કરવા માટે સાધન સહાય
અરજીની પ્રક્રિયા  ઓનલાઈન (Online)
Online Application Date 01/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર થઈ નથી
Official website e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજનાનો હેતુ 

રાજ્યના નાગરિકો કે જેઓ આર્થિક રીતે નબળા આને પછાત વર્ગોમાં સમાવેશ થાય છે. તેવા નાગરિકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે  આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સાધન સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. 

માનવ કલ્યાણ યોજનાની પાત્રતા ( Manav Kalyan Yojana Eligibility)

આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકારના કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

  • અરજદાર ની ઉંમર 16 થી ૬૦ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેઓની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેઓની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
  • જે અરજદારો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તેઓ ગરીબી રેખા નીચે(BPL) ની યાદીમાં સમાવેશ થતો હોય તેવા અરજદારોએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂરિયાત નથી
  • અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ ઓનલાઈન અપલોડ કરવો.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હિય તેમને અરજી કરવાની રહેશે નહી.

મફત સાધન સહાયની યાદી( Manav Kalyan Yojana Tool kit List)

રાજ્ય સરકારના કમિશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા Manav Garima Yojana Gujarat 2023 ચલવવામાં આવે છે. જેમાં સમાજના આર્થિક રીતે નબળા આને પછાત વર્ગોના લોકોને નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે, આ સાધન સહાયની યાદી નીચે મુજબ છે.

  1. કડીયાકામ
  2. સેન્ટીંગ કામ
  3. વાહન સર્વિસ અને રીપેરીંગ
  4. દરજીકામ
  5. કુંભારી કામ
  6. મોતી કામ
  7. ભરતકામ 
  8. બ્યુટી પાર્લર
  9. પ્લમ્બર
  10. વિવિધ પ્રકારની ફેરી
  11. ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ 
  12. સુથારી કામ
  13. ધોબી કામ 
  14. ખેતીલક્ષી લુહારી કામ કે  વેલ્ડીંગ કામ 
  15. દુધ-દહી  વેચનાર
  16. માછલી વેચનાર
  17. સાવલી સુપડા  બનાવનાર
  18. પાપડ બનાવટ
  19. અથાણા બનાવટ
  20. પંચર કીટ
  21. મસાલા મિલ 
  22. મોબાઇલ રીપેરીંગ
  23. પેપર કપ અને ડીસ બનાવટ ( સખીમંડળ)
  24. રૂ ની દિવેટ બનાવવી ( સખીમંડળ ની બહેનો) 
  25. હેર કટીંગ 
  26. ફ્લોર મિલ
  27. ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  28. રસોઈ માટે પ્રેસર કુકર ( હાલ રદ કરેલ છે)

Documents Required of Manav Kalyan Yojana 2023

માનવ કલ્યાણ યોજના કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા નીચે મુજબના આધાર પુરાવા (ડોક્યુમેન્ટસ) નક્કી કરવામાં આવ્યા છે.

  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઉંમર અંગેનો પુરાવો ( જન્મનો દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • જાતિનો અંગેનો દાખલો
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો
  • ધંધાના અનુભવનો દાખલો ( જો હોય તો )

આ પણ વાંચો-

માનવ કલ્યાણ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Online Apply Manav Kalyan yojana 2023

રાજ્ય સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે e-kutir Gujarat Gov Portal બનાવેલ છે. આ પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. તાજેતરમાં ચાલતી Manav Kalyan Yojana Online Application (અરજી ઓનલાઇન) કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ google searchમાં e-kutir Gujarat સર્ચ કરો.
  • તેમાંથી e-kutir.gujarat.gov.in અધિકૃત વેબસાઈટ ઓપન કરો.

  • વેબસાઈટ ના હોમપેજ પર મેનુમાં “Commissioner of Cottage and Rural Industries” (કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ) ઓપ્શન પર ક્લિક કરો.

manav Kalyan Yojana

  • હવે તમને માનવ કલ્યાણ યોજના 2023 જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તેનું User Id અને Password તથા નીચે દર્શાવેલ Captcha ટાઈપ કરી Login કરો.

manav Kalyan Yojana

  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તો ” For New Individual Registration” પર ક્લિક કરો.

manav Kalyan Yojana 2023

  • એક નવું પેજ “નવી વ્યક્તિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ઓપન થયેલું જોવા મળશે.જેમાં પૂરું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, પાસવર્ડ, Catpcha નાખી નોંધણી કરો બટન પર ક્લિક કરો.

manav Kalyan Yojana

  • નોંધણી કરો બટન પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે જેમાં શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો તેવું પૂછવામાં આવશે જેમાં “પુષ્ટિ કરો” પર ક્લિક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે તેઓ “Registration Successfully” મેસેજ જોવા મળશે.
  • તમારું યુઝર આઇડી અને પાસવર્ડ સુરક્ષિત જગ્યાએ નોંધીને રાખો જેથી ભવિષ્ય માં તેનો ફરી ઉપયોગ કરી શકાય.
  • હવે તમે હોમ પેજ પર જાઓ જેમાં જમણી સાઈડ “Login to Portal” ઓપ્શન જોવા મળશે તેમાં તમારુ User id, Password અને Captcha નાખી Login બટન પર ક્લિક કરો.

manav Kalyan Yojana

  • Login કર્યા બાદ તમારી સામે એક Profile Page જોવા મળશે જેમાં બાકી રહેલી વિગતો ભરી Update પર ક્લિક કરો.
  • પ્રોફાઇલ પેજમાં માગ્યા મુજબની માહિતી ભર્યા બાદ Update કરી Save કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને જુદી જુદી યોજનાઓ જોવા મળશે જેમાંથી “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરો.
  • માનવ કલ્યાણ યોજના વિશેની માહિતી તમને જોવા મળશે જે વાંચી સમજી ત્યારબાદ OK બટન પર ક્લિક કરો.
  • હવે યોજનાનો ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં અરજદારી પોતાની વ્યક્તિગત માહિતી (Personal Details) ભરવાની રહેશે ત્યારબાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજીની વિગતોમાં અરજદારે ટૂલકિતનું નામ ટેકનિકલ વિગત આવક અંગેની વિગત ધંધાનું નામ શૈક્ષણિક લાયકાત વિગેરે જેવી માહિતી ભરી “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અરજદારે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL કાર્ડ ની વિગત ઉંમરનો પુરાવો ધંધાનો અનુભવ વગેરે ડોક્યુમેન્ટ ઓરીજનલ સ્કેન કરી Documents Upload કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ હવે તમને નિયમો અને શરતો જોવા મળશે જે વાંચી “Confirm Application બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારે ઓનલાઇન અરજી કરેલ અરજીનો નંબર જોવા મળે છે તેમજ અરજીની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવી.

FAQ’S

1.માનવ કલ્યાણ યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે.

ans- માનવ કલ્યાણ યોજના રાજ્ય સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે.

2.Manav Kalyan Yojana 2023 માટે ઓનલાઇન અરજી કરવા ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ANS- Manav Kalyan Yojana 2023 માટે ઓનલાઇન અરજી કરવા ઓફિશિયલ વેબસાઈટ e-kutir.gujarat.gov.in છે.

3.માનવ કલ્યાણ યોજના માટે કઈ તારીખથી ઓનલાઇન અરજી કરી શકાશે?

Ans- માનવ કલ્યાણ યોજના માટે 01/04/2023 તારીખથી ઓનલાઇન અરજી કરી શકાશે