શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Shree Vajpayee Bankable Yojana Online

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022:- Shri Vajpayee Bankable yojana 2022 ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજનાઓ ની મદદથી રાજ્યના પુરુષો અને મહિલાઓ ધંધો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બનશે અને સ્વરોજગાર મેળવી શકશે. આ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના, વાજપાઈ બેન્કેબલ યોજના જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. વાજપાઈ બેન્કેબલ માં લોકોને નાના ધંધા શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.અને સબસિડી પણ આપવામાં આવે છે.

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Vajpayee Bankable Yojana Online Apply 2022 | Shree Vajpayee Bankable yojana in gujarati | Vajpayee Bankable Loan Subsidy 2022

Vajpayee Bankable Yojana દ્વારા શિક્ષિત બેરોજગારોને પોતે આત્મનિર્ભ બની તે માટે ધંધાની શરૂઆત કરવા રાજ્ય સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો પણ પોતાનું સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી શકશે. તેમજ બીજા લોકોને રોજગારી અપી શકશે. આ યોજના ની વિગતવાર માહિતી આ આર્ટિકલ ની અંદર જોઈશું. પ્રિય મિત્રો વિવિધ યોજનાઓ અને સરકારી જોબ ની માહિતી માટે આપણી આ વેબસાઈટ નિયમિત જોતા રહેજો.

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 Highlight

યોજનાનું નામ Shree Vajpayee Bankable Yojana 2022
ભાષા ગુજરાતી અને English
મુખ્ય હેતુ નવો વ્યયસાય, ધંધો કે ઉદ્યોગ શરુ કરવા માટે સબસીડી સાથે લોન આપી પ્રોત્સાહિત કરવા
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ જ્ઞાતિના લોકોને લાભ મળવાપાત્ર છે
લોનની રકમ 8 લાખ સુધીની લોન આપવામાં આવશે
લોન પર સબસીડી 60,000/- થી 1,25,000/- રૂપિયા સુધી સબસીડી મળવાપાત્ર રેહશે
Official Website http://www.cottage.gujarat.gov.in/Eng/HomeGuj
Apply Online https://blp.gujarat.gov.in/header_home.php

 

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022ની પાત્રતા 

  1. લાભાર્થી ગુજરાત નો નાગરિક હોવો જોઈએ.
  2. લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ 4 સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  3. લાભાર્થી એક સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી 1 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
  4. લાભાર્થી પોતે વારસાગત કારીગરો હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
  5. આ યોજના હેઠળ લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક, જાહેર સેક્ટરની બેંક, ખાનગી બેંક મારફતે લોન પેટે ધિરાણ મળવા પાત્ર થશે.
  6. લાભાર્થીએ 1 વર્ષનો ધંધા ને લગતો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  7. આ યોજનાનો લાભ એક વ્યક્તિને ફક્ત એક જ વખત મળવા પાત્ર છે.
  8. આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ પહેલા લીધેલ હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં.
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Documents Required for Vajpayee Bankable Yojana

  1. ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે.
  2. લાભાર્થીનું આધારકાર્ડ
  3. લાભાર્થીનું ચૂંટણી કાર્ડ
  4. શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC)
  5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  6.  જન્મ નો દાખલો કે પ્રમાણપત્ર
  7. શૈક્ષણિક લાયકાત માટે છેલ્લી માર્કશીટ
  8. લાભાર્થી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો હોય તો તે અંગેનું જાતિ પ્રમાણપત્ર
  9. જો દિવ્યાંગ લાભાર્થી હોય તો 40% કે તેથી વધુ દિવ્યાંકતાની ટકાવારી વારો સિવિલ સર્જન કે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
  10. અરજદાર એ મેળવેલ તાલીમ કે અનુભવનું પ્રમાણપત્ર
  11. જે જગ્યાએ ધંધો કરવાનો હોય તે સ્થળનો આધાર પુરાવો ભાડા કે ભાડા ચિઠ્ઠી કે મકાનની વેરા પાવતી
  12. જો અરજદાર ભાડાના સ્તર પર વીજળીનો વપરાશ કરવાનો હોય તો તે મકાનનો લાઈટ બિલ અને મકાન માલિકની સંમતિનુ પત્રક

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 ધિરાણની મર્યાદા

કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગાંધીનગર દ્વારા શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે. આ લોનની મર્યાદા કયા ક્ષેત્રમાં કેટલી છે તે નીચે મુજબ છે.

ક્ષેત્ર લોનની (ધીરાણની) મર્યાદા 
સેવા ક્ષેત્ર માટે (Service Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) મહત્તમ 8 લાખની મર્યાદામાં
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022

Subsidy of Vajpayee Bankable Yojana

ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. આ લોન માટે વિવિધ જ્ઞાતિઓ માટે કેટલી સબસીડી આપવી તે નક્કી કરેલ છે. જે સબસીડી નીચે મુજબ છે.

નોંધ- શ્રી વાજભાઈ બેન્કેબલ યોજના નો લાભ દિવ્યાંગ લાભાર્થીઓને મળતો હોય તેવા કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે 1,25,000/- રૂપિયા સબસીડી મળવા પાત્ર રહેશે.

વિસ્તારનુ નામ સામન્ય જ્ઞાતિ (General) અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ
ગ્રામ્ય 25% 40%
શહેરી 20% 30%

 

Vajpayee Bankable Yojana 2022 ક્ષેત્ર મુજબ સબસીડી

ક્રમ ક્ષેત્રનું નામ સબસીડીની રકમની મર્યાદા
1 સેવા ક્ષેત્ર માટે (Service Sector) 1,00,000/-
2 ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) 1,25,000/-
3 વેપાર ક્ષેત્ર માટે (Business Sector) 60,000/- ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે  
    60,000/- શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે
    80,000/- શહેરી/ગ્રામ્ય બન્નેમાં
અનામત કેટેગરી માટે

 

Shree Vajpayee Bankable Yojana Project Profile

કમિશનર કુટિર અને ગ્રામ ઉદ્યોગ દ્રારા શ્રી વાજપેય બેન્કેબલ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય ધંધા રોજગાર અને સેવા ના પ્રોજેક્ટ નક્કી કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ કુલ 17 પ્રકારના છે તેમજ તેના 395 પેટા ધંધા વ્યવસાય નક્કી કરવામાં આવેલા છે જેની યાદી નીચે મુજબ છે.

ક્રમ ક્ષેત્રનું નામ સંખ્‍યા
1 ટેક્ષટાઈલ ઉદ્યોગ 32
2 કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ 42
3 એન્‍જીનિયરીંગ ઉદ્યોગ 53
4 ખેત પેદાશ આધારિત ઉદ્યોગ 10
5 પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ 12
6 પ્લાસ્ટિક ઉદ્યોગ 22
7 હસ્તકલા ઉદ્યોગ 18
8 ખાદ્ય પદાર્થ ઉદ્યોગ 18
9 જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ 17
10 ખનીજ આધારિત ઉદ્યોગ 9
11 ડેરી ઉદ્યોગ 5
12 ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ 6
13 ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ 18
14 ચર્મોદ્યોગ 6
15 સેવા પ્રકારના વ્યવસાય 51
16 વેપાર પ્રકારના ધંધાઓ 52
17 અન્ય ઉદ્યોગ 23
  Total  

 

Online Apply for Shri Vajpayee Bankable Yojana

ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા વિવિધ આપવા માટે Bankable Loan Registration નામનું એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. શિવાભાઈ બેન્કેબલ યોજના માં કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી નીચે મુજબ છે.

  1. સૌપ્રથમ google માં તમે સર્ચ કરશો ત્યારે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ https://blp.gujarat.gov.in/header_home.php જોવા મળે છે.
  2. ઓફિશિયલ વેબસાઈટ ઓપન થયા બાદ “Bankable Loan Registration” પર ક્લિક કરવાનું રહેશે.
  3. જો આપે આ પહેલા આ પોર્ટલ પર Registration કરેલ ના હોય તો “Registration” પર ક્લિક કરો.
  4. તમે જ્યારે રજીસ્ટર પર ક્લિક કરશો ત્યારે તમારો Mobile Number અને Captcha Code નાખીને આગળની પ્રોસેસ કરવાની રહેશે.
  5. રજીસ્ટ્રેશન કરતી વખતે લાભાર્થી પોતાનું Name, Email id, Password , Captcha Caode નાખીને રજીસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે.
  6. રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂરી થયા બાદ લાભાર્થીએ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.
  7. રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા Log in કરવું.
  8. Log in કર્યા બાદ “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરી Online Application કરાવી.
  9. ઓનલાઇન એપ્લિકેશન માં દર્શાવેલ ફોર્મમાં તમામ વિગતો ભરવી.
  10. લાભાર્થી જે ધંધા માટે અરજી કરતા હોય તેની Scheme Details માં Business Details, Project Details, Finance Required ની માહીતી ભરવી.
  11. લાભાર્થીએ Details of Experience/ Training ની તમામ માહિતી વિગતવાર ભરવાની રહેશે.
  12. ત્યાર બાદ Save & Next પર ક્લિક કરવાનું રેહશે.
  13. લાભાર્થી અરજીમાં માગેલ પુરાવાઓની PDF ફાઈલ અપલોડ કરી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

FAQ’S of શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022

  1. Vajpayee Bankable Yojana કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

Ans:  આ યોજના ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.

  1. શ્રી વાજપેય બેન્કેબલ યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી લોન મળવા પાત્ર છે?

Ans:  આ યોજના અંતર્ગત લાભાર્થીને ધંધા ઉદ્યોગ વ્યવસાય ચાલુ કરવા માટે આઠ લાખ સુધીની લોન મળવા પાત્ર છે.

  1. Vajpayee Bankable Yojanaઅંતર્ગત લાભાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ?

Ans: આ યોજના લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલું હોવું જોઈએ.

  1. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત કયા કયા ક્ષેત્રમાં લોન મળવા પાત્ર છે?

Ans: shree Vajpayee Bankable Yojana ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, તથા વેપાર ક્ષેત્ર માટે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

  1. shree Vajpayee Bankable Yojana Online Application કરવા માટે કઈ વેબસાઈટ છે.

Ans: https://blp.gujarat.gov.in/header_home.php